મંત્રાલયે કહ્યું કે કાર્ય સ્થળ પર કોરોના કેસ આવશે તો ઓફિસને અને બ્લોકને સેનેટાઈઝ કરાશે પણ ઓફિસ બંધ નહીં કરાય.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ સંક્રમણને રોકવાને માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેના અનુસાર હવે સંક્રમણના એક કે બે કસ આવે છે તો ફક્ત ઓફિસના તે ભાગને સેનેટાઈઝ કરાશે. જ્યાં દર્દી કામ કરી રહ્યો હતો. મંત્રાલયે કહ્યું કે જો કાર્ય સ્થળે વધારે કેસ આવશે તો ઓફિસ અને બિલ્ડિંગને સેનેટાઈઝ કરાશે અને ફરી કામ શરૂ કરાશે.
નવી ઓસઓપીમાં છે આ નિયમ
પહેલાની જેમ ઓફિસમાં વધશે રોનક
આ સાથે કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયના આદેશ અનુસાર કેન્દ્ર સરકારના દરેક કર્મચારીઓને કામના દિવસોમાં ઓફિસ આવવાનું કહેવાયું છે. નવા આદેશ રાજધાની સહિત દેશમાં લાગૂ કરાયા છે. કહેવાયું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યાલય ન આવવાની છૂટ મળશે. તેઓ આ ઝોનમાંથી બહાર આવ્યા બાદ ઓફિસ આવી શકશે.
કોરોના સંક્ટમાં 50 ટકા કર્મચારીઓ જ ઓફિસમાં કામ કરી રહ્યા હતા
કેન્દ્ર સરકારે ગયા વર્ષે કોરોનાના કારણે કેટલીક પાબંદી રાખઈ હતી અને 50 ટકા કર્મચારીઓને કાર્યાલયથી કામ કરવા કહ્યું હતું. આ માટે અલગ અલગ કાર્યાલય સમય પણ નક્કી કર્યો હતો.
રજિસ્ટરથી નોંધાશે હાજરી
આદેશમાં કહેવાયું છે કે નવા આદેશ સુધી બાયોમેટ્રિક હાજરી બંધ કરીને રજિસ્ટરથી હાજરી લેવાશે. આ સાથે દરેક વિભાગ શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સથી મિટીંગ કરશે.
બચાવના ઉપાયોનું કરાશે પાલન
એસઓપીમાં કહેવાયું છે કે દરેક કર્મચારીએ કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવાનું રહેશે.
આવી છે નવી એસઓપી
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati