❀ 👉 અહીં શિક્ષકોને ઉપયોગી નોકરીમાંથી રાજીનામું / પેન્શન / NOC અંગેના પત્રકો મુકવામાં આવશે...
❆ રાજીનામા / પેન્શન અંગે ઉપયોગી પત્રકો : ❆
❆ ➯ રીટાયરમેન્ટ વખતે મેડીકલ રજા મુકવા_સીવીલ સર્જનના સર્ટીની જરૂર નથી પ્રેસનોટ Click here
❆ ➯ રાજીનામા / પેન્શન અંગે ઉપયોગી પત્રકો Click here
❆ રાજીનામા / પેન્શન અંગે ઉપયોગી પત્રકો ❆
Useful Forms on Resignation / Pension Discription Download ➯ રાજીનામા અંગેના પત્રકો pdf file સ્વરૂપે મેળવવા માટે Click Here ➯ રાજીનામા અંગેનો ભરેલ નમૂનો pdf file સ્વરૂપે Click Here ➯ વાંધો નથી નું પ્રમાણપત્ર મેળવવા માટેનો ઓફીસીયલ નમુનો pdf file Click Here ➯ પેન્શન કેસ તૈયાર કરવા માટેના જરૂરી કાગળો - પત્રકો ની માહિતી નમૂનાઓ Click Here ➯વાંધો નથી નું પ્રમાણપત્ર મેળવવા માટેનો ઓફીસીયલ નમુનો pdf new Click Here ➯ વાંધો નથી નું પ્રમાણપત્ર મેળવવા માટેનો ઓફીસીયલ નમુનો pdf Teacher use Click Here ➯ અન્ય રીતે નોકરી છોડવી રાજીનામાં ના કિસ્સામાં અનુસરવાની કાર્યપદ્ધતિ Click Here ➯ પેન્શનની પ્રેક્ટીકલ સમજ - Pension Pecticle samaj PDF Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ રાજીનામા / પેન્શન અંગે ઉપયોગી પત્રકો (word-Excel) Click here
❆ રાજીનામા / પેન્શન અંગે ઉપયોગી પત્રકો ❆
❆ ➯ રાજીનામા અંગેનો ભરેલ નમૂનો pdf file સ્વરૂપે Click here
❆ ➯ વાંધો નથી નું પ્રમાણપત્ર મેળવવા માટેનો ઓફીસીયલ નમુનો Click here
❆ ➯ રાજીનામા / પેન્શનને લગતા મહત્વના પરિપત્રો Click here
❆ રાજીનામા / પેન્શનને લગતા મહત્વના પરિપત્રો ❆
Pension / NOC /Regine useful Letter Discription Download ➯ નિવૃતિ સમયના પગારધોરણ ધ્યાને લઇ પેન્શન રીવીઝન કરવા બાબત તારીખ 9- 3 -2020 નો પરિપત્ર Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ ચાલુ સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ? Click Here
❆ ➯ ચાલુ સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ? પેન્શનર મિત્રો... ➯છેલ્લે આપણે ચાલુ સેવા દરમિયાન અવસાનનાં કિસ્સામાં કુટુંબ પેન્શન શરૂ કરવા માટે હાથ ધરવાની થતી કાર્યવાહી અંગેની વિગતો જોઈ હતી.હવે,આજે આ પ્રકારના પેન્શન માટે કુટુંબ પેન્શનરને કેટલી રકમ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર થાય છે તે અંગેની ચર્ચા કરીએ. ➯મિત્રો,આપ જાણો છો તે મુજબ ગુજરાત સરકારશ્રી દ્વારા તેમના કર્મચારીઓ કે જેઓ તા.૦૧/૦૪/૦૫ પહેલા રાજય સરકારશ્રીની સેવામાં જોડાયેલા હોય તેવા તેમજ તા.૨૪/ ૦૯/૨૦૨૨ નાં ઠરાવથી ક૨વામાં આવેલ વધારાની જોગવાઈ અનુસાર તા.૦૧/૦૪/૦૫ પછી પણ સરકારી સેવામાં જોડાયેલા હોય અને જેમણે ચાલુ સેવા દરમિયાન અવસાનનાં કિસ્સામાં જૂની પેન્શન યોજના મુજબની કુટુંબ પેન્શન યોજના સ્વીકારવા માટે વિકલ્પ આપેલ હોય તેવા કર્મચારીઓ સહિતના બધાં કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા કુટુંબ પેન્શન યોજના ૧૯૭૨ લાગુ પાડવામાં આવી છે. અને અંગેનું ગુજરાત મુલકી સેવા (પેન્શન)નાં નિયમો ૨૦૦૨ થી નિયમન કરવામાં આવે છે. ➯આ નિયમોનાં નિયમ નં ૯૦(૧)માં ચાલુ સેવા દરમિયાન અવસાનનાં કિસ્સામાં કુટુંબ પેન્શનની રકમ કેટલી મળવા પાત્ર થાય છે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે.જે આપણે આજે અહીં સરળ શબ્દોમાં સમજીએ. ➯સહુ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે કુટુંબ પેન્શનની રકમ અંગે આ નિયમોમાં બે પ્રકાર પાડવામાં આવેલ છે. (૧) ઊંચા દરે (કુટુંબ પેન્શન ભાગ -૧) અને (૨) નીચા દરે (કુટુંબ પેન્શન ભાગ-૨) હવે, આપણે આ બંને દર અંગે ની વિગતો ચકાસીએ (૧) ઊંચા દરે કુટુંબ પેન્શન નો દર-(કુટુંબ પેન્શન ભાગ-૧) કર્મચારીના અવસાનની તારીખે કર્મચારીને મળતા છેલ્લા મૂળ પગાર નાં ૫૦% જેટલો. (૨) નીચા દરે કુટુંબ પેન્શન નો દર (કુટુંબ પેન્શન ભાગ-૨)કર્મચારીનાં અવસાનની તારીખે કર્મચારીને મળતા મૂળ પગારનાં ૩૦% જેટલો. ❆ ઊંચા દર(ભાગ-૧) નાં કુટુંબ પેન્શન અંગેની સમય મર્યાદા : ➯કર્મચારીનાં અવસાનની તારીખથી દસ વર્ષ સુધી. નીચો દર(ભાગ-૨)નાં કુટુંબ પેન્શન અંગે ની સમય મર્યાદાઃ- ➯કર્મચારીના અવસાનની તારીખથી દસ વર્ષ પૂરા થાય ત્યાર પછીના દિવસથી આજીવન.(અન્ય શરતો પૂરી થતી હોય તો. આ અન્ય શરતો અંગેની જોગવાઈઓ આપણે અગાઉનાં લેખમાં કુટુંબ પેન્શન માટે પાત્રતા ધરાવનાર કુટુંબ પેન્શનરો અંગેની વિગતોમાં જ દર્શાવેલ છે.) ➯આ બાબતને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ એક કર્મચારીની ચાલુ સેવા દરમિયાન અવસાનની તા.૦૧/૦૩/૨૦૨૩ છે અને અવસાનની તારીખે તેમનો મૂળ પગાર રૂા.૪૦૦૦૦/-હોય તા.૦૧/૦૪|૨૦૨૩ | થી તા.૩૧/૦૩/૨૦૩૩ સુધી મળવાપાત્ર થતું કુટુંબ પેન્શન ભાગ- ૧ રૂા. ૨૦૦૦૦ મુજબ થશે અને ત્યારબાદ તા.૦૧/૦૪/૩૩ થી આજીવન રૂા.૧૨૦૦૦/- મુજબ કુટુંબ પેન્શન ભાગ-૨ નક્કી થશે. ➯હવે, આપણે સહુથી અગત્યની એ બાબતની ચર્ચા કરીએ કે ઉપર દર્શાવેલ વિગતો અનુસાર કુટુંબ પેન્શન અંગેની રકમની ગણતરી ઘેર બેઠા કેવી રીતે ચકાસી શકાય? સ્વાભાવિક છે કે આ પ્રશ્ન દરેક કુટુંબ પેન્શનરોને માટે અગત્યનો હોય જ. એટ્લે કે જેઓ કુટુંબ પેન્શન મેળવે છે એવા કુટુંબ પેન્શનરો પોતાની પાસે રહેલા પેન્શન ચૂકવણી હુકમ (પી.પી.ઓ.બુક) નાં પ્રથમ પાના પર નાં કોલમ નંબર ૩૩.ઉપર કુટુંબ પેન્શન ની રકમ ઊંચા દરે (કુટુંબ પેન્શન ભાગ-૧) અને નીચા દરે (કુટુંબ પેન્શન ભાગ-૨) ની રકમ તથા ભાગ-૧ અને ભાગ-૨ની પાત્રતાની તારીખો પણ દર્શાવેલી હશે. કે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આ રકમ કેવી રીતે નક્કી થઈ હશે. હવે પ્રશ્ન એ છે કે પી.પી.ઓ.બુક માં દર્શાવેલ આ રકમમાં અને હાલમાં ચૂકવવામાં આવતા કુટુંબ પેન્શનની મૂળ રકમમાં ફેરફાર હોય તો આવો ફેરફાર ક્યારે હોય અને આવા ફેરફારીત દર ની ગણતરી અંગેની ચકાસણી કેવી રીતે કરી શકાય.? ❆ તો આ બાબતે નીચેની વિગતો યાદ રાખીએ : (૧) કોઈ પણ કારણોસર ગુજરનાર કર્મચારીનાં પગારમાં પાશ્ચાદ અસરથી સુધારો થવાનેં કારણે કુટુંબ પેન્શનનાં બંને ભાગની ૨કમના દર બદલાયેલા હશે.તો આવા કિસ્સામાં કુટુંબ પેન્શનરનાં મૂળ કર્મચારીની નિવૃત્તિ સમયની કચેરી દ્વારા સુધારેલ પેન્શનની અધિકૃતિ માટે ડી.પી.પી.કચેરીને મોકલવામાં આવેલ સુધારેલ પેન્શન અંગેની દરખાસ્ત ધ્યાને લઇને ડી.પી.પી.કચેરી દ્વારા પેન્શન સુધારણા અધિકૃતિ હુકમ ફોર્મ નંબર.૧૦ ની એક નકલ સંબંધિત કુટુંબ પેન્શનરના રહેઠાણનાં નોંધાયેલ સરનામા ઉપર જાણ કરવાંમાં આવે છે.તેમાં આ અંગેની સુધારેલ કુટુંબ પેન્શનનાં બંને ભાગની રકમ તથા તારીખ દર્શાવેલ હશે .જેને આધારે આ અંગેની વિગતોની માહિતી મળી શકશે.પરંતુ,અમુક કિસ્સામાં પગારમાં કોઈ સુધારો ન થયેલ હોય અને સરકારશ્રી દ્વારા વખતોવખતનાં જાહેર કરવામાં આવતા પગાર પંચની ભલામણો અનુસાર તિજોરી કક્ષાએથી જ બારોબાર પેન્શનની રકમમાં સુધારો કરવામાં આવેલો હોય ત્યારે કુટુંબ પેન્શનરોએ પોતાનું કુટુંબ પેન્શન તિજોરી કક્ષાએ કેવી રીતે સુધરવામાં આવેલ હશે તે અંગે નીચે મુજબની ફોર્મ્યુલા યાદ રાખવી. મૂળ પી.પી.ઓ.માં દર્શાવેલ કુટુંબ પેન્શન (તા.૦૧/૦૧/ ૦૬ પછી પરંતુ ૦૧/૦૧/૨૦૧૬ પહેલા નાં અવસાનના કિસ્સામાં)ની રકમને ૨.૫૭ વડે ગુણાકાર કરવાથી તા.૦૧/ ૦૧/૧૬ થી સાતમા પગાર પંચ મુજબનાં નવા મૂળ કુટુંબ પેન્શનની રકમ જાણી શકાશે. તો મિત્રો, આ હતી કુટુંબ પેન્શન ની રકમની ઘેર બેઠા કેવી રીતે ગણતરી થઈ શકે તે અંગે ની સરળ શબ્દોમાં સમજૂતી. ➯ આશા છે કે આપને એ ઉપીયોગી પણ બની રહેશે અને આપ એ બાબતે સમજુત પણ થઈ શક્યા હશો. નરેન્દ્ર વી વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી, રાજકોટ (મો.૯૮૨૪૪૮૮૬૬૭) _______________________________________________
❆ ➯ જ્ઞાન સહાયક રાજીનામાની પ્રકિયા. Click Here
❆ જ્ઞાન સહાયક રાજીનામાની પ્રકિયા : ❆ ✔️રાજીનામું મંજૂર કરવાની સતા સ્થાનિક S.M.C ની રહેશે.. ✔️જ્ઞાન સહાયક ➯ અધ્યક્ષ અને સભ્ય સચિવ S.M.C ને ઉદ્દેશીને રાજીનામું બે નકલ માં મૂકે જેમાં સ્પષ્ટ લખાવવું કે કોઈ ના શેહ,શરમ કે દબાણ વગર રાજીનામું આપું છું.અને આ નોકરીની ફરીવાર માંગણી કરીશ નહિ ✔️આચાર્ય(સભ્ય સચિવ) એમને મૌખિક રાજીનામું મંજૂર કરશે, લેખિત માં નહિ.. ✔️આવી રીતે રાજીનામા આપનાર જ્ઞાન સહાયકની જાણ તે જ દિવસે અત્રેની કચેરીએ કરવાની રહેશે...
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....